દિલ્હી - મસુરી- હરિદ્વાર - નૈનીતાલ - કૌસાની - કોરર્બેટપાર્ક
દિવસ-૧ દિલ્હી શુભ આગમન
દર સોમવાર / શુક્રવાર પ્રવાસીની અનુકુળતા મુજબ ( સ્વખર્ચે ) રેલ્વે/એર દ્વારા દિલ્હી આગમન બાદ યમુના નદીના કિનારે વસેલા ભારતની રાજધાની દિલ્હીના બિરલા મંદીર , રાષ્ટ્રપતી ભવન ( બહાર થી ) , કુતુબમીનાર , લોકલ સાઈટસીન , મેટ્રો ટ્રેનની સફર નો આનંદ માણો ( સ્વખર્ચે ) સાંજે ખરીદી માટે સમય ફ્રી , આરામ . (જે પ્રવાસીને અક્ષરધામ મંદીર જવુ હશે તેને સ્વખર્ચે વ્યવસ્થા કરી આપવામા આવશે ) ( રાત્રી મુકામ દિલ્હી )
દિવસ-૨ દિલ્હી થી મસુરી ( ૨૪૦ કિ.મિ. ૭/૮ કલાક )
સવારે ચા-નાસ્તા બાદ લીલાછમ પર્વતોની મહારાણી એવા મસુરી જવા રવાના , આગમન બાદ આરામ. ( રાત્રી મુકામ દિલ્હી )
દિવસ-૩ મસુરી
સવારે ચા-નાસ્તા બાદ વિવિધ પ્રકારની વનસ્પતી , વન્ય પ્રાણીઓથી શોભતા એવા ગિરિમથક મસુરીના પ્રખ્યાત કેમ્પટી ફોલ્સ નું સાઈટસીન તેમજ કેબલકાર મુસાફરીની મોજ માણો ( સ્વખર્ચે ) સાંજે માલરોડ પર ખરીદી માટે સમય ફ્રી , આરામ . ( રાત્રી મુકામ મસુરી )
દિવસ-૪ મસુરી થી હરિદ્વાર ( ૨૪૦ કિ.મિ. ૭/૮ કલાક )
સવારે ચા-નાસ્તા બાદ દેવોની તપોભુમિ અને પાવનગંગા નદીના કીનારે વસેલ પવીત્ર યાત્રાધામ હરિદ્વાર જવા રવાના ૠષિકેશ લોકલ સાઈટસીન ( ૩ કલાક ) લક્ષ્મણઝુલા સાઈટસીન કરી હરિદ્વાર આગમન , બાદ સાંજે હરકીપૈડી સ્વર્ગાશ્રમપર સાંજની ગંગા આરતી દર્શન બાદ સ્વેચ્છા વિહાર આરામ . ( રાત્રી મુકામ મસુરી )
દિવસ-૫ હરિદ્વાર થી નૈનીતાલ (૨૨૫ કિ.મિ. ૭/૮ કલાક )
વહેલી સવારે હરિદ્વારમાં પવિત્ર નદીમાં ગંગાસ્નાન , આરતી દર્શન , ચા-નાસ્તા બાદ પ્રવાસીના દિલોદિમાગને સ્ફુર્તિથી ભરી દેતુ અલૌકિક ગિરિમથક એવા નૈનીતાલમાં આગમન બાદ આરામ . (રાત્રી મુકામ નૈનીતાલ )
દિવસ-૬ નૈનીતાલ ( રાનીખેત - અલ્મોરા ) ( ૯૦ કિ.મિ. ૨/૩ કલાક )
સવારે ચા-નાસ્તા બાદ સ્વેચ્છા વિહાર , ત્યાર બાદ રાનીખેતના ઝુલાદેવી ટેમ્પલ , ચોબાટીયા ગાર્ડન અને અલ્મોરા નંદાદેવી તેમ્પલ , લાલબજારનુ સાઈટસીન જ્યાં પ્રાકૃતિક સૌંદર્યના રસપાનની ફોતોગ્રાફીની મોજ માણો ( સ્વખર્ચે ) (રાત્રી મુકામ નૈનીતાલ )
દિવસ-૭ નૈનીતાલ
સવારે ચા-નાસ્તા બાદ નૈનીતાલમાં રોપ-વે જેમાં સાત-તાલ , નવ કુંચીયાતાલ , ભીમતાલ તથા સાંજે નૈનીતાલમાં બોટીંગ તેમજ ઘોડેસવારીની મોજ માણો તથા નેપાળી બજારમાં ખરીદી માટે સમય ફ્રી, આરામ . (સ્વખર્ચે) ( રાત્રી મુકામ નૈનીતાલ )
દિવસ-૮ નૈનીતાલ થી કૌસાની (૧૧૫ કિ.મિ. ૨/૩ કલાક )
સવારે ચા-નાસ્તા બાદ નૈનીતાલથી કૌસાની જવા રવાના કૌસાની આગમન બાદ આશરે ૬૦૫૮ ફુટ ઉંચાઈએ હિમાલય પર્વત પર ખુબજ આકર્ષક દ્વારકાધીશનાં મંદીર , દુર્ગા ટેમ્પલ , વાઈલ્ડ લાઈફ સેન્સુરીમાં જંગલી પ્રાણીઓને નજીક થી જોવાનો તેમજ ફોટોગ્રાફીની મોજ માણો . ( સ્વખર્ચે ) ( રાત્રી મુકામ કૌસાની )
દિવસ-૯ કૌસાની થી કોર્બેટપાર્ક ( ૧૦૦ કિ.મિ. ૨/૩ કલાક )
સવારે ચાં-નાસ્તા બાદ કૌસાની થી કોર્બેટપાર્ક જવા રવાના જીપ દ્વારા જંગલમાં વાઈલ્ડ લાઈફ સેન્સુરીમાં જંગલી પ્રાણીઓને નજીક થી જોવાનો અનેરો લ્હાવો માણો, (સ્વખર્ચે ) ત્યાર બાદ આરામ . ( રાત્રી મુકામ કોર્બેટપાર્ક )
દિવસ-૧૦ કોર્બેટપાર્ક થી દિલ્હી ( ૨૫૦ કિ.મિ. ૬/૭ કલાક )
સવારે ચાં-નાસ્તા બાદ કોર્બેટપાર્ક થી દિલ્હી જવા રવાના , દિલ્હી આગમન બાદ શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત એક અવિસ્મરણીય યાદગાર પ્રવાસ સમાપ્ત .
( પ્રવાસીઓની અનુકુળતા મુજબ રેલ્વે / એર દ્વારા સ્વખર્ચે શુભ પ્રયાણ )
નોંધઃ- દિવસ ૯ ની ટુર માં જોડાતા પ્રવાસીઓને ટુર ઉપાડવાના સમય દરમ્યાન જણાવેલ હોટલ પર પહોચવાનું રહેશે ત્યાર બાદ દિલ્હી થી મસુરી જવા રવાના.
નોંધઃ- દિવસ ૭ ની ટુર માં જોડાતા પ્રવાસીઓએ હરિદ્વાર જણાવેલ હોટલ પર ( સ્વખર્ચે ) પહોંચવાનુ રહેશે.
















