Print
PDF

જમ્મુ - શ્રી નગર(કાશ્મીર) - સોનમર્ગ - ગુલમર્ગ - પહેલગાંવ – વૈષ્ણોદેવી

 

દિવસ-૧ જમ્મુ આગમન

દર બુધવાર/રવિવાર પ્રવાસીની અનુકુળતા ( સ્વખર્ચે ) મુજબ રેલ્વે/એર દ્વારા જમ્મુ શુભ આગમન બાદ સ્વેચ્છા વિહાર ખરીદી માટે સમય ફ્રી, આરામ.  (રાત્રી રોકણ જમ્મુ )

દિવસ-૨ જમ્મુ થી શ્રીનગર (૨૮૦ કિ.મિ. ૧૦/૧૨ કલાક )

સવારે ચાં-નાસ્તા બાદ જમ્મુ થી શ્રીનગર જવા રવાના, રસ્તામાં ( મીની કાશ્મીર ) પટનીટોપની મોજ માણો (૨ કલાક ) ત્યાર બાદ શ્રીનગર રાત્રે આગમન બાદ આરામ. (રાત્રી રોકણ શ્રીનગર )

દિવસ-૩  શ્રીનગર થી સોનમર્ગ (૮૫ કિ.મિ. ૨/૩ કલાક )

સવારે ચાં-નાસ્તા બાદ ૨૭૪૦ મીટર ઉંચાઈ પર આવેલ MEDOW OF GOLD તરીકે જાણીતા સોનમર્ગની મુલાકાત. ( જો રસ્તો ખુલ્લો હોય અને મિલેટ્રીની પરવાનગી હોઈ તો જ )  (રાત્રી રોકણ શ્રીનગર )

દિવસ-૪  શ્રીનગર થી ગુલમર્ગ (૮૫ કિ.મિ. ૨/૩ કલાક )

સવારે ચાં-નાસ્તા બાદ પ્રક્રુતિ પ્રેમીઓને આચર્ય પમાડનાર ભુમી પરનુ સ્વર્ગ એવા ગુલમર્ગ ની મુલાકાત બાદ ગંડોલા કેબલ કાર દ્રારા સ્નો પોઇન્ટની મુલાકાત , ઘોડેસવારીની મોજ માણો.       ( સ્વખર્ચે )   (રાત્રી રોકણ શ્રીનગર )

દિવસ-૫  શ્રીનગર ( લોકલ સાઈટસીન )
 

સવારે ચાં-નાસ્તા બાદ હિમાચ્છાદીત પર્વતમાળાઓની ખીણ વસેલા અને ભુમી પરનુ સ્વર્ગ એવા શ્રીનગરની મુલાકાત દરમ્યાન દાલલેકમાં ( ૨ કલાક ) શિકારાની સહેલગાહનો આનંદ માણો. ( સ્વખર્ચે ) બપોરે શાલીમાર બાગ , નિશાંતબાગ , સુપ્રસિધ્ધ શંકરાચાર્ય મંદિરની મુલાકાત બાદ ખરીદી માટે સમય ફ્રી , આરામ.     ( રાત્રી રોકાણ શ્રીનગર )

દિવસ-૬  શ્રીનગર થી પહેલગાંવ ( ૧૦૦ કિ.મિ. ૨/૩ કલાક )

સવારે ચાં-નાસ્તા બાદ લીદર નદીના કિનારે આવેલ રોમાંચક દ્રશ્યોથી ભરપુર અને શિતલતાનો અનુભવ કરાવનાર એવા પહેલગાંવ આગમન , ત્યારબાદ સ્વેચ્છા વિહાર, સમય ફ્રી , આરામ .  ( રાત્રી રોકાણ પહેલગાંવ )

દિવસ-૭  પહેલગાંવ   ( ચંદનવાડી )

સવારે ચાં-નાસ્તા બાદ પહેલગાંવ થી ચંદનવાડીનુ સાઈટસીન જ્યાં કુદરતી વાતાવરણમાં ઘોડે સવારી ની મોજ માણો.     ( સ્વખર્ચે )  સાંજે ખરીદી માટે સમય ફ્રી, આરામ  ( રાત્રી રોકાણ પહેલગાંવ )

દિવસ-૮  પહેલગાંવ  થી વૈષ્ણોદેવી ( ૩૦૦ કિ.મિ. ૧૦/૧૨ કલાક )

સવારે ચાં-નાસ્તા બાદ પહેલગાંવ જવા માટે રવાના , આગમન બાદ આરામ.( રાત્રી રોકાણ કતરા )


નોંધ- જે પ્રવાસીઓને વૈષ્ણોદેવીના પ્રવાસમાં ના જોડાવુ હોય તે પ્રવાસીઓને શ્રીનગર એરપોર્ટ ડ્રોપ કરવામા આવસે.
( પ્રવાસીઓની અનુકુળતા મુજબ એર દ્વારા સ્વખર્ચે શુભ પ્રયાણ )

દિવસ-૯ વૈષ્ણોદેવી દર્શન

અસંખ્ય શ્રધ્ધાળુઓની મનોકામના પુર્ણ કરનાર શ્રીવૈષ્ણોદેવી માતાના દર્શન માટે આખો દીવસ ફ્રી. ( ચાલીને , ઘોડા , ડોલી , હેલિકોપ્ટર દ્વારા સ્વખર્ચે )  ( રાત્રી રોકાણ કતરા )

દિવસ-૧૦ કતરા થી જમ્મુ ( ૫૦ કિ.મિ. ૨/૩ કલાક )

સવારે કતરા થી જમ્મુ જવા રવાના , જમ્મુ આગમન બાદ શ્રી બાલાજી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત એક એવો અવિસ્મરણીય યાદગાર પ્રવાસ સમાપ્ત .
( પ્રવાસીઓની અનુકુળતા મુજબ રેલ્વે/એર દ્વારા સ્વખર્ચે શુભ પ્રયાણ )



Download E-Brochure

Contact us

44, Vartalee Complex, 3rd Floor,
Opp. Narnarayan Complex,
Nr. Swastik Char Rasta,
Navrangpura,
Ahmedabad - 380 009.
M: 0960 11 55 333
Email: shreebalajitoursandtravels@yahoo.in